Monday, January 23, 2012

ઘરમાં અરીસો, કંઈ જગ્યાએ લગાવવો?


ઘરમાં અરીસો, કંઈ જગ્યાએ લગાવવો?


સામાન્ય રીતે અરીસો બધાના ઘરમાં હોય જ છે. અરીસા વગર સારી રીતે સાંજ-શણગારની કલ્પના કરવી અઘરી છે. દિવસમાં ઘણીવાર આપણે પોતે જ અરીસામાં જોઈએ છીએ. તેનું કારણ અરીસો એવી જગ્યાએ લગાવવામાં આવે છે જ્યાંથી આપણે આસાનીથી પોતાને જોઈ શકીએ. 


અરીસો ક્યાં લગાવવો જોઈએ અને ક્યાં નહીં આ બાબતે વિદ્વાનો અને વાસ્તુશાસ્ત્રીઓ દ્વારા ઘણા મહત્વપૂર્ણ બિંદુ બતાવ્યા છે. દર્પણની બાબતે એક સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બેડરૂમાં અરીસો લગાવવો અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ સહન કરવી પડે છે. જો પતિ-પત્ની રાત્રે સુતી વખતે અરીસામાં જુએ તો તેની ખરાબ અસર તેની સેહત ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. તેની સાથે પતિ-પત્ની વચ્ચે દિવસભર જે થાક લાગે છે, આળસ થાય છે તેને કારણે વાસ્તુ પ્રમાણે બેડરૂમમાં અરીસો ન લગાવવાની સલાહ આપવામાં આવે છે, 


અરીસો એવી જગ્યાએ લગાવવો જોઈએ જ્યાંથી પતિ-પત્ની રાતના સમયે સૂતી વખતે અરીસામાં જોઈ ન શકે.

No comments:

Post a Comment