Tuesday, January 31, 2012

એક જ ગોત્રમાં લગ્ન કેમ નથી કરવામાં આવતા?


એક જ ગોત્રમાં લગ્ન કેમ નથી કરવામાં આવતા?

હિન્દુ ધર્મમાં લગ્ન પહેલા ગોત્ર અને કુંડળીને મેળવવાની પરંપરા છે. કેટલાક લોકો આ પ્રથાને અંધવિશ્વાસ માનીને ટાળી દે છે તો કેટલાક તેને યોગ્ય માને છે. હકીકતમાં આ કોઈ અંધવિશ્વાસ નથી. તેની પાછળ ધાર્મિક કારણ એવું છે કે આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એક જ ગોત્ર કે એક જ કુળમાં લગ્ન કરવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે એક જ ગોત્ર કે કુળમાં લગ્ન થવાથી દંપતિની સંતાન આનુવંશિક દોષ સાથે જન્મે છે.

આવા દંપતિઓના સંતાન એક જ વિચારધારા, પસંદ, વ્યવહાર વગેરેમાં કોઈ નવીનતા નથી હોતી. આવા બાળકોમાં રચનાત્મકતાનો અભાવ જોવા મળે છે. વિજ્ઞાન દ્વારા પણ આ બાબતે એવી વાત કહેવામાં આવી છે સગોત્ર લગ્ન કરે તો મોટાભાગના દંપતિની સંતાનમાં આનુવંશિક દોષ અર્થાત્ માનસિક વિકલાંગતા, અપંગતા, ગંભીર રોગ વગેરે જન્મજાત જ જોવા મળે છે. શાસ્ત્રો પ્રમાણે આ કારણે જ સગોત્ર લગ્ન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment