Tuesday, January 31, 2012

મૃત વ્યક્તિનો બિસ્તર કેમ રાખવામાં નથી આવતો !!?


મૃત વ્યક્તિનો બિસ્તર કેમ રાખવામાં નથી આવતો !!?

ભારતીય માન્યતાઓ અને પરંપરાઓનો દેશ છે. આપણી કોઈપણ પરંપરા અંધવિશ્વાસ નથી. અહીં આપણે દરેક પરંપરાની પાછળ કેટલાક તથ્યો કે વૈજ્ઞાનિક આધાર ચોક્કસ હોય છે. કોઈ કુંટુંબમાં સ્ત્રી કે પુરુષનું મૃત્યુ થાય ત્યારે આપણે ત્યાં અનેક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. મૃત્યુ એક અટલ સત્ય છે, જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ ચોક્કસ થવાનું જ છે. હિન્દુ ધર્મમાં મૃત્યુની બાબતે અનેક મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. એમાં એક નિયમ છે, મૃત્યુ પામ્યો હોય તેવી વ્યક્તિનો બિસ્તર ઘરમાં ન રાખવાનું.

આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, મૃત વ્યક્તિના શરીરમાં જે સૂક્ષ્મજીવો હોય છે તે તેના બિસ્તરમાં પણ હોય છે. આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે કોઈના ઘરમાં મૃત્યુ થાય ત્યારે તેના ઘરમાં બાર દિવસ સુધી સુતક રહે છે. અને બારેય દિવસ સુધી ઘરમાં પૂજા-પાઠ પણ નથી કરવામાં આવતા. ત્યારબાદ સુતક નિકળી જાય ત્યારે તે વ્યક્તિના બિસ્તરને પણ દાન કરી દેવામાં આવે છે જે બિસ્તર ઉપર તેનું મૃત્યુ થયું હોય. તેને ઘરમાં રાખવામાં નથી આવતું. કારણ કે મૃત વ્યક્તિનો બિસ્તર રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ પણ પેદા થાય છે. જે ઘરના સભ્યોને નકારાત્મક રીતે અસર કરે છે.

એક જ ગોત્રમાં લગ્ન કેમ નથી કરવામાં આવતા?


એક જ ગોત્રમાં લગ્ન કેમ નથી કરવામાં આવતા?

હિન્દુ ધર્મમાં લગ્ન પહેલા ગોત્ર અને કુંડળીને મેળવવાની પરંપરા છે. કેટલાક લોકો આ પ્રથાને અંધવિશ્વાસ માનીને ટાળી દે છે તો કેટલાક તેને યોગ્ય માને છે. હકીકતમાં આ કોઈ અંધવિશ્વાસ નથી. તેની પાછળ ધાર્મિક કારણ એવું છે કે આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એક જ ગોત્ર કે એક જ કુળમાં લગ્ન કરવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે એક જ ગોત્ર કે કુળમાં લગ્ન થવાથી દંપતિની સંતાન આનુવંશિક દોષ સાથે જન્મે છે.

આવા દંપતિઓના સંતાન એક જ વિચારધારા, પસંદ, વ્યવહાર વગેરેમાં કોઈ નવીનતા નથી હોતી. આવા બાળકોમાં રચનાત્મકતાનો અભાવ જોવા મળે છે. વિજ્ઞાન દ્વારા પણ આ બાબતે એવી વાત કહેવામાં આવી છે સગોત્ર લગ્ન કરે તો મોટાભાગના દંપતિની સંતાનમાં આનુવંશિક દોષ અર્થાત્ માનસિક વિકલાંગતા, અપંગતા, ગંભીર રોગ વગેરે જન્મજાત જ જોવા મળે છે. શાસ્ત્રો પ્રમાણે આ કારણે જ સગોત્ર લગ્ન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવા કેમ જરૂરી છે?


માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવા કેમ જરૂરી છે?

કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં મંગળદોષ હોય છે તેમના લગ્નમાં વિઘ્નો આવે છે અથવા તો તેમના લગ્ન ખૂબ જ જલદી અથવા તો ખૂબ જ મોડા થાય છે. માંગલિક લોકોના લગ્નમાં મોડું થવા પાછળનું એક કારણ માંગલિક છોકરી કે છોકરો મળતો નથી તે પણ હોય છે. સમયસર યોગ્ય વર કે કન્યા મળતા નથી. અને જેઓ મળી જાય છે ત્યાં બીજી અન્ય અનેક સમસ્યાઓ સામે આવે છે. જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે મનમાં એવો ખયાલ આવે છે કે, માંગલિક છોકરાના લગ્ન માંગલિક છોકરી સાથે જ કેમ ન થઈ શકે? આવી વખતે ઘણા લોકો આ માન્યતાને અંધવિશ્વાસ માની લે છે.

પરંતુ આ અંધવિશ્વાસ નથી. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માંગલિક સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથી પાસે વિશેષ અપેક્ષાઓ રાખે છે, તથા જીવનસાથીની બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય છે. માંગલિક જાતક સહવાસની બાબતે ખૂબ જ પ્રબળ હોય છે, તેથી તેઓ પોતાના જીવનસાથી પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. પરંતુ જો તેમનો જીવનસાથી સંપૂર્ણ સહયોગ ન કરે ત્યારે તેમની વચ્ચે વિવાદ પેદા થવાનો ડર પેદા થાય છે. આ કારણે જ શાસ્ત્રોમાં ભાર આપવામાં આવ્યો છે કે માંગલિકના લગ્ન માંગલિક સાથે જ થાય. પરંતુ ક્યાંક ક્યાંક અપવાદ સ્વરૂપે છોકરાની કુંડળીમાં મંગળ દોષ હોય અને છોકરીની કુંડળીમાં 1, 4, 7, 8, 12 સ્થાને શનિ હોય કે મંગળની સાથે ગુરુ હોય ત્યારે પણ મંગળનો પ્રભાવ સમાપ્ત થયો માનવામાં આવે છે. માંગલિક જાતકના લગ્ન મોડેથી પણ સારી જગ્યાએ થાય છે.

માંગલિક પર મંગળ ગ્રહનો પ્રભાવ
માંગલિક વ્યક્તિ પર મંગળનો સીધો પ્રભાવ હોય છે. જો મંગળ અશુભ ફળ આપનાર હોય તો એ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ હોય છે જેમ કે લોહી સંબંધિત બિમારી, ભૂમિ-ભવન મામલે નુક્સાન, લગ્નમાં મોડુ વગરે. આ વ્યક્તિઓ સખત મહેનત કરવા છતાં સફળતા મેળવી શકતા નથી.

ભૂખ લાગવાનું વૈજ્ઞાનિક કારણ શું ?


ભૂખ લાગવાનું વૈજ્ઞાનિક કારણ શું ?

જાણે આદત પડી હોય એ રીતે આપણે રોજ બે ટંક જમી લઇએ છીએ. કેમ કે આપણને ભૂખ લાગે છે. પરંતુ ભૂખ શા માટે લાગે છે ? એવો પ્રશ્ર તમારા મનમાં કદી જાગ્‍યો છે ખરો ? ભૂખ લાગવા પાછળ પણ એક ચોક્કસ વિજ્ઞાન કામ કરે છે.
ભૂખ લાગી છે, એવા પ્રકારનો સંદેશો આપણું શરીર આપણા મગજને મોકલતું હોય છે. આવા સંદેશાનો અર્થ એ કે પોષણયુકત પદાર્થોનું પ્રમાણ આપણા શરીરમાં ફરતા લોહીમાં ઘટી ગયું છે અને તેને આવા વધુ પદાર્થોની જરૂર છે. હવે આ કેવી રીતે બને છે તે જોઇએ.
આપણા શરીરમાં પોષક પદાર્થોનું સતત રાસાયણિક પરિવર્તન થતું રહેતું હોય છે. જેથી શરીરના તમામ અવયવોને લોહી દ્વારા શકિત મળતી રહે. તેમાં સમતુલા જળવાય એ શરીરને ટકાવી રાખવા માટે જરૂરી છે. તેનો અર્થ એ કે બળતણરૂપે લેવાતા ખોરાક અને તેના વપરાશની સમતુલા જળવાવી જોઇએ અને તેનું બરાબર નિયંત્રણ પણ થવું જોઇએ. આ નિયંત્રણ ખોરવાઇ ન જાય એટલા માટે તરસ અને ભૂખ લાગે છે.
આપણા મગજમાં ભૂખનું કેન્‍દ્ર આવેલું છે. આ કેન્‍દ્ર આપણા આંતરડા અને પેટની પ્રવૃતિ પર બ્રેકનું કામ કરે છે. મતલબ કે જયારે આપણા લોહીમાં પૂરતા પ્રમાણમાં પોષક પદાર્થો ભળેલા હોય ત્‍યારે મગજમાં આવેલું આ ભૂખનું કેન્‍દ્ર પેટ અને આંતરડાની પ્રવૃતિને થંભાવી દે છે. પરંતુ જો લોહીમાં આ પોષક દ્રવ્‍યોનું પ્રમાણ ઘટી જાય મગજમાં આવેલું ભૂખનું કેન્‍દ્ર પેટ તથા આંતરડાની પ્રવૃતિને પાછી ચાલુ કરી દે છે ! આ કારણે જ જયારે આપણને કકડીને ભૂખ લાગે ત્‍યારે પેટમાંથી ગડગડાટીનો અવાજ આવે છે.
આમ છતાં તમને જાણીને નવાઇ લાગશે કે ખાલી પેટ સાથે ભૂખને કશો સીધો સંબંધ નથી. કોઇ વ્‍યકિતને તાવ આવ્‍યો હોય તો તેનું પેટ ખાલી હોવા છતાં તેને ભૂખ નહીં લાગે, કેમ કે એ વખતે શરીરમાં સંઘરાયેલાં પ્રોટીનના અનામત જથ્‍થામાંથી તેને પોષણ મળતું હોય છે.
ભૂખ દ્વારા આપણા શરીરની બળતણ માટેની જરૂરિયાત વ્‍યકત થાય છે. કોઇપણ પ્રકારનું બળતણ વિજ્ઞાન કહે છે ખૂબ જ ભૂખી વ્‍યકિત કોઇપણ પ્રકારનો ખોરાક ખાઇ જતી હોય છે. કયારેક તો તે સામાન્‍ય સંજોગોમાં ન ખાવા યોગ્‍ય ખોરાક હોય તોપણ કઠોર સંજોગોની ફરજ પડે તો શાકાહારી માનવી માંસાહાર કરવા માંડે એટલું જ નહીં, બલકે તેની જિજીવિષા એવી તો પ્રબળ થઇ જાય કે તે માનવીનું માંસ પણ ખાવા લાગે. જોકે આવા કઠોર સંજોગો આપણા રોંજીદા જીવનમાં ઊભા થતા નથી અને એટલા માટે જ આપણે અવનવી વાનગીઓવાળો ખોરાક પસંદ કરવાની મનોવૃતિ ધરાવીએ છીએ. દાખલા તરીકે જયારે કોઇ વ્‍યકિત જમવા બેસે ત્‍યારે પહેલાં તે સૂપ લેશે. પછી તે દાળભાત કે શાકભાજી અને રોટલી લેશે અને તેનાથી પેટ ભરાવા લાગે ત્‍યારે છેલ્‍લે ફળો કે મિષ્‍ટાન્‍ન લેશે. પરંતુ આટલું જ પોષણ લેવા માટે તે માત્ર બટેટાં ખાઇને સંતોષ માનશે નહીં. કયું પ્રાણી કેટલો વખત સુધી ખોરાક વિના ચલાવી શકે તેનો આધાર તેના શરીરમાં ચાલતી પોષક પદાર્થોનું સતત રાસાયણિક પરિવર્તન કરવાની પ્રક્રિયા પર છે. ગરમ લોહીવાળાં પ્રાણીઓમાં પ્રક્રિયા ઝડપી હોય છે એથી તેઓ વધુ ઝડપે ખોરાકનો જથ્‍થો વાપરી નાંખે છે.

કાળા કપડાં...ક્યારે પહેરવા અને ક્યારે નહીં !?..


કાળા કપડાં...ક્યારે પહેરવા અને ક્યારે નહીં !?..

હિન્દુધર્મમાં લગ્નમાં વર-કન્યાને કાળા કપડાં પહેરવા માટે સખત મનાઈ ફરમાવવામાં આવેલી છે કારણ કે આપણે ત્યાં એવી માન્યતા છે કે કાળો રંગ અશુભ હોય છે. મોટાભાગના લોકો આને અંધવિશ્વાસ માનીને આ વાતની હસી ઉડાવી દે છે. કારણ કે કાળા રંગના કપડાં આ દિવસોમાં ફેશનમાં ચાલે છે. એટલે લગ્નમાં પણ વર-કન્યા અને તેના સંબંધીઓ પણ આ વાતને અંધવિશ્વાસ માની ટાળી દે છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શુભ કાર્યોમાં કાળા રંગના કપડાં પહેરવા ન જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. એટલે લગ્નોમાં પણ વસ્ત્રો લાલ, પીળા, ગુલાબી રંગોને વધુ માન્યતા આપવામાં આવી છે કારણ કે લાલ રંગ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે લાલ રંગ ઊર્જાનો સ્ત્રોત છે અને લાલ રંગ હકારાત્મક ઊર્જાનું પણ પ્રતીક છે.


તેનાથી વિરુદ્ધ જ્યારે વાદળી, ઘઉંવર્ણા અને કાળા રંગની માનાઈ ફરમાવવામાં આવેલી છે તેની પાછળનું પણ કારણ છે કે કાળા અને ગાઢ રંગો નિરાશાનું પ્રતીક છે અને એવી ભાવનાનાઓને શુભ કાર્યોમાં આવવી ન જોઈએ. કાળા કપડાં પહેરીને કોઈ શુભ કાર્યોમાં આવી જાય તો તેનાથી મનમાં નકારાત્મક વિચારો જન્મ લે છે અને સંબંધોનો આધાર મજબૂત નથી થતો. એટલે લગ્નમાં વર-કન્યાને કાળા કપડાં પહેરવાની માનાઈ ફરમાવવામાં આવે છે.

અજવાળા કરતાં અંધારામાં આપણે સહેલાઇથી ઊંઘીએ છીએ


અજવાળા કરતાં અંધારામાં આપણે સહેલાઇથી ઊંઘીએ છીએ

અજવાળા કરતાં અંધારામાં આપણે શા માટે ઝડપથી / સહેલાઇથી ઊંઘીએ છીએ?
દુનિયાનો દરેક પદાર્થ જો તે પૂરતો પાતળો હોય તો પોતાનામાંથી તે થોડો કે વધુ પ્રકાશ પસાર થવા દે છે, અથવા તેનામાંથી પ્રકાશ પસાર થાય છે. ઊંઘતી વખતે આપણે આંખો બંધ કરીએ છીએ ત્‍યારે આંખો પોપચાનું ઢાંકણ કે આવરણ આવી જાય છે. આપણી આંખોનાં પોપચાં પાતળાં હોવાં જોઇએ, કારણ કે, જો આપણે કશુંક જોવું હોય તો આપણે તેને ઊંચે લઇ જવાં પડે છે, રાખવાં પડે છે. જો આ પોપચાં જાડાં હોય તો તે વજનમાં પણ એટલાં ભારે હોય કે, આપણને આંખો ખુલ્‍લી કે ઉઘાડી રાખવામાં ઘણી મહેનત અને મુશ્‍કેલી પડે.
આ પોપચાં પાતળાં હોવાથી તે અપારદર્શક હોતાં નથી. જો તે કોઇ કાળા પડદા જેવા ઘેરા કે અપારદર્શક હોત તો આપણે અંધારાની પેઠે પ્રકાશમાં,અજવાળામાં પણ સહેલાઇથી ઊંઘી શકીએ, કારણ કે પોપચાં બીડતાં જ આપણે પૂરેપૂરા અંધારામાં આવી જઇએ, પરંતુ એવું નથી. આપણી આંખોનાં પોપચાં પ્રકાશને પોતાની આરપાર સારા પ્રમાણમાં પસાર થવા દે છે, જેથી આંખોમાં પ્રકાશ પ્રવેશી શકતો ન હોવાથી આપણે બહુ સહેલાઇથી ઊંઘી શકીએ છીએ.
આંખો બંધ કરેલી રાખી હોય અને મકાનની બારી ખુલ્‍લી રાખી હોય ત્‍યારે આપણને ખાતરી થશે કે, પ્રકાશનાં કિરણો આંખોમાં પ્રવેશે છે.

આગની જયોત કે ભડકો પાણીમાં બુઝાઇ જાય છે,તેલમાં તે સળગે છે


આગની જયોત કે ભડકો પાણીમાં બુઝાઇ જાય છે,તેલમાં તે સળગે છે

પાણી અને તેલ બંને પ્રવાહી છે. પાણી એટલે બળી ગયેલો અથવા સળગી ગયેલો કે ઓકિસજન સાથે ભળીને સળગી ગયેલો હાઇડ્રોજન વાયુ છે, જેથી તે સળગી ગયેલો હાઇડ્રોજન ફરી વખત સળગી શકતો નથી. જયારે દીવાની જયોતને પાણીમાં બોળવામાં આવે છે, ત્‍યારે તેને હવામાંથી ઓકિસજન મળતો બંધ થાય છે, કારણ કે પાણીમાં હાઇડ્રોજન કે ઓકિસજન તેમના મૂળ ગુણો સાથે અસ્તિત્‍વ ધરાવતા નથી. જેવી રીતે ડૂબતો માણસ પાણીમાં ગુંગળાઇને મરી જાય છે, તેવું જ દીવાની જયોતનું થાય છે. ?જોકે પાણીમાં ખૂબ જ અલ્‍પ પ્રમાણમાં ઓકિસજન ઓગળેલો હોય છે, જે સળગવા માટે તથા માછલીઓને શ્ર્વાસ લેવા માટે પૂરતો હોય છે પરંતુ તે જયોતને કે ભડકાને સળગતાં રાખવા માટે પૂરતો હોતો નથી. હવાની સરખામણીમાં પાણી ગરમીનું વધુ સારું વાહક છે, એટલે કદાચ એવું પણ બને કે, જયારે કોઇ સળગતી વસ્‍તુ પાણીમાં નાખવામાં આવે અથવા તે સળગતી વસ્‍તુ ઉપર પાણી નાખવામાં આવે છે ત્‍યારે તે વસ્‍તુ કે પદાર્થ પોતાની ગરમી ઝડપથી ગુમાવી દે છે અને તેનું ઉષ્‍ણતામાન એટલું ઘટી જાય છે કે, તેટલા ઉષ્‍ણતામાને તે સળગી શકતી નથી.
જયારે પેરેફીન (તેલ) એ કાર્બન હાઇડ્રોજનનો બનેલો સંયુકત પદાર્થ છે. આ બંને તત્‍વો ઓકિસજનની સાથે બહુ જ સહેલાઇથી ભળી જાય છે, એટલે કે પૂરતી ગરમી મળતાં તરત જ તે જવલનશીલ (સળગી ઊઠે તેવા) બની જાય છે. આથી જયારે પેરેફીનમાં આગ મૂકવામાં આવે છે કે તરત જ તેમાંથી કાર્બન અને હાઇડ્રોજન ઝડપથી સળગવા માંડે છે અને તેમાંથી પાણી (હાઇડ્રોજન અને ઓકિસજનનુ સંયોજન) તથા કાર્બન ડાયોકસાઇડ (કાર્બન અને ઓકિસજનનું સંયોજન) ઉત્‍પન્‍ન થાય છે. જયારે પેરેફીનનું આ બે તત્‍વોમાં પૂરું રૂપાંતર થઇ જાય છે, પછી તે પણ સળગી શકતું નથી.