Tuesday, January 31, 2012

મૃત વ્યક્તિનો બિસ્તર કેમ રાખવામાં નથી આવતો !!?


મૃત વ્યક્તિનો બિસ્તર કેમ રાખવામાં નથી આવતો !!?

ભારતીય માન્યતાઓ અને પરંપરાઓનો દેશ છે. આપણી કોઈપણ પરંપરા અંધવિશ્વાસ નથી. અહીં આપણે દરેક પરંપરાની પાછળ કેટલાક તથ્યો કે વૈજ્ઞાનિક આધાર ચોક્કસ હોય છે. કોઈ કુંટુંબમાં સ્ત્રી કે પુરુષનું મૃત્યુ થાય ત્યારે આપણે ત્યાં અનેક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. મૃત્યુ એક અટલ સત્ય છે, જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ ચોક્કસ થવાનું જ છે. હિન્દુ ધર્મમાં મૃત્યુની બાબતે અનેક મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. એમાં એક નિયમ છે, મૃત્યુ પામ્યો હોય તેવી વ્યક્તિનો બિસ્તર ઘરમાં ન રાખવાનું.

આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, મૃત વ્યક્તિના શરીરમાં જે સૂક્ષ્મજીવો હોય છે તે તેના બિસ્તરમાં પણ હોય છે. આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે કોઈના ઘરમાં મૃત્યુ થાય ત્યારે તેના ઘરમાં બાર દિવસ સુધી સુતક રહે છે. અને બારેય દિવસ સુધી ઘરમાં પૂજા-પાઠ પણ નથી કરવામાં આવતા. ત્યારબાદ સુતક નિકળી જાય ત્યારે તે વ્યક્તિના બિસ્તરને પણ દાન કરી દેવામાં આવે છે જે બિસ્તર ઉપર તેનું મૃત્યુ થયું હોય. તેને ઘરમાં રાખવામાં નથી આવતું. કારણ કે મૃત વ્યક્તિનો બિસ્તર રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ પણ પેદા થાય છે. જે ઘરના સભ્યોને નકારાત્મક રીતે અસર કરે છે.

No comments:

Post a Comment