Monday, January 23, 2012

જાણો છો નવરાત્રિમાં જવ કેમ ઉગાડવા જોઇએ..


જાણો છો નવરાત્રિમાં જવ કેમ ઉગાડવા જોઇએ..


ચૈત્ર મહિનામાં હિંદુ નવ વર્ષના પ્રારંભની સાથે મહા નવરાત્રિ શરૂ થાય છે.આ નવ દિવસ માતાની આરાધના માટે મહત્વપુર્ણ માનવામા આવે છે.


નવરાત્રિમાં દેવીના ઉપાસનાથી જોડાયેલી અનેક માન્યતાઓ છે,એમાની એક છે ઘરમાં જવારા લગાડવાની.


પણ બહુ ઓછા લોકો જાણે છે કે આની પાછળ શું કારણ હશે


જયારે સૃષ્ટિની શરૂઆત થઇ ત્યારે સૌથી પહેલો પાક જવનો જ હતો.એટલે આ પાકને સંપુર્ણ પાક કહે છે.


જવને હવનમાં દેવી - દેવતાઓને હોમવામાં આવે છે એટલે જ તો એમને હોમાવિષ્ટ અન્ન પણ કહે છે.


વસંતઋતુમાં પ્રથમ પાક જવનો હોય છે.જે આપણે માતાજીને અર્પણ કરીએ છીએ.એવું કહેવાય છે કે જવ ઉગાડી ભવિષ્ય સંબંઘી અમુક બાબતો વિશે સંકેત મળે છે.


જેમ કે, જો જવ ઝડપથી વધવા લાગે તો ઘરમાં સુખ-સમૃધ્ધિ તેજીથી વધવા લાગે છે અને જો આછા રંગના થાય તો ભવિષ્યમાં ઘરની સમૃધ્ધિમાં કોઇપણ રીતે વૃધ્ધિ થાય છે, 


જો કરમાવા લાગે તો એમની વૃધ્ધિ ઓછી થાશે અથવા ભવિષ્યમાં કોઇ અશુભ ઘટનાનો સંકેત આપે છે.

No comments:

Post a Comment