ચતુર્થી ઉપર ચંદ્રમાની પૂજા કેમ કરવામાં આવે છે?
ચતુર્થી સ્ત્રીઓ માટે ખૂબ જ મોટો મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. પત્નીઓ એવી દ્રડ માન્યતા હોય છે કે ચંદ્રની પૂજા કરવા અને કૃપા પ્રાપ્ત કરવાથી તેમના પતિની ઉંમર તથા સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ આ પરંપરાને બનાવવા પાછળ કયા વૈજ્ઞાનિક કારણ છે તે ખૂબ જ ઓછા લોકો જાણે છે. હકીકતમાં ચંદ્ર પૃથ્વીની નજીક હોવાને લીધે, પૃથ્વીવાસીઓને ખૂબ જ વધુ અસર કરે છે. કહેવાય છે કે, ચંદ્રથી નિકળતા સૂક્ષ્મ વિકિરણો માનવીને શારીરિક અને માનસિક બંને રીતે અસર કરે છે.
ચોથ કે મહિનાની કોઈપણ ચતુર્થીના દિવસે ચંદ્રમાની કલાઓની અસર ખાસ થાય છે. એટલે આ દિવસે પૂજા કરવાથી ખાસ લાભ થાય છે. ચંદ્રને જળ ચઢાવતી વખતે, ચંદ્રમાની કિરણો પાણીથી પરાવર્તિત થઈ સાધકને આશ્ચર્યજનક મનોબળ પ્રદાન કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવી માન્યતા છે કે, ચંદ્રની પૂજા જરૂરપણે કરવી જોઈએ કારણ કે ચંદ્રને મનના કારક કે દેવતા હોવાને લીધે મનને સકારાત્મક ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરી દે છે.
No comments:
Post a Comment