Tuesday, January 31, 2012

પગે ખાલી કેમ ચડે છે



પગે ખાલી કેમ ચડે છે
પગનું હલનચલન અટકી જાય અને ભેગાભેગ તેના સ્‍નાયુ પણ એકધારા દબાયેલા રહે ત્‍યારે લોહીનું ભ્રમણ તેમાં બરાબર થતું નથી. પગની અંદરના ટિબિયલ નર્વ કહેવાતા મુખ્‍ય જ્ઞાનતંતુને મળતો લોહીનો પુરવઠો અવરોધાય છે, માટે એ જ્ઞાનતંતુમાં મગજના સંદેશા પણ મુક્ત રીતે વહી શકતા નથી.ઘણીવાર જ્ઞાનતંતુ પોતે દબાય એટલે પણ સંદેશાનો ટ્રાફિક અટકી પડે છે. પગના દરેક સ્‍નાયુને ચોક્કસ રીતે હલનચલન કરવાના હુકમો તે જ્ઞાનતંતુ દ્વારા મળતા હોય છે. મગજે પ્રસારિત કરેલા એવા હુકમો પગના જે તે સ્‍નાયુને ન પહોંચે સુધી આપણે પગને સરળતાપૂર્વક આમ કે તેમ ખસેડી પણ ન શકીએ. આને લીધે પગમાં ચેતના પણ જણાય નહિ. પગ તત્‍પુરતો ખોટો પડી જાય છે. અંતે જકડાયેલા પગને સહેજ છૂટો કરી તેના પરનું દબાણ હળવું બનાવો ત્‍યારે એ વખતે તેમાં પાછો શરૂ થતો સંદેશાનો ટ્રાફિક આસપાસના સ્‍નાયુમાં હળવી ઝણઝણાટી પેદા કરે છે અને તે ઝણઝણાટી માટે જ આપણે ‘ખાલી‘ શબ્‍દ વાપરીએ છીએ.

No comments:

Post a Comment